• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • શ્રાવણ માસમાં કયા મંત્રના જાપથી પ્રસન્ન થશે મહાદેવ, તમારી રાશી અનુસાર કરો આ મંત્રના જાપ...

શ્રાવણ માસમાં કયા મંત્રના જાપથી પ્રસન્ન થશે મહાદેવ, તમારી રાશી અનુસાર કરો આ મંત્રના જાપ...

05:17 PM July 06, 2023 admin Share on WhatsApp



શ્રાવણ મહિનાની શરૂઆત ગુજરાતમાં 18 જૂલાઈથી થવા જઈ રહી છે. આ વર્ષે અધિક માસ હોવાને લીધે શ્રાવણ મહિનાનાં 4ને બદલે 8 સોમવાર આવશે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવ પુરાણમાં કેટલાક મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રોનો જાપ રાશિઓ મુજબ કરવો જોઈએ. મંત્રોનો જાપ રાશિ મુજબ કરવામાં આવે તો મહાદેવને પ્રસન્ન કરવું વધુ સરળ બની જાય છે. જાણો કઈ રાશિનાં જાતકોએ શ્રાવણ માસ દરમિયાન ક્યા મંત્રનો જાપ કરવો જોઈએ. 

શિવલિંગ પર પાણી, દુધ અથવા ચોખા-કાળા તલ સહિત બિલિપત્ર ચડાવતા સમયે અહીં આપેલા મંત્રનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ. અથવા જો તમને મહામૃત્યુંજય મંત્ર સ્મરણ હોય તો તેનો જાપ કરવો જોઈએ. આ સિવાય શિવ તાંડવ સ્ત્રોત્રમનું ઉચ્ચાર પણ કરવું જોઈએ. અહીં શાસ્ત્રોક્ત પ્રમાણે કંઈ રાશિઓના જાતકોએ કેવી રીતે શિવલિંગની પૂજા કરવી તે વિશે માહિતી આપી છે. 

mahadev mantra shivling

► મેષ રાશિનો મંત્ર

મેષ રાશિનાં જાતકોએ 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ શ્રાવણ મહિનાનાં સોમવારે કરવો જોઈએ. શિવજીનાં અભિષેક દરમિયાન જળની જગ્યાએ શેરડીના રસનો ઉપયોગ કરવો જોઈએ.

► વૃષભ રાશિનો મંત્ર

આ રાશિનાં જાતકોએ 'ઓમ નાગેશ્વરાય' મંત્રનો જાપ કરવો. મહાદેવનો અભિષેક દૂધથી કરવું શુભ રહેશે.

► મિથુન રાશિનો મંત્ર

'ઓમ નમઃ શિવાય કાલં મહાકાલ કાલં કૃપાલું ઓમ નમઃ ' મંત્રનો જાપ કરવો.  શિવલિંગ પર દૂર્વા અને ભાંગનાં પાન ચડાવવું આ રાશિનાં જાતકો માટે શુભ.

► કર્ક રાશિનો મંત્ર

'ઓમ ચંદ્રમૌલેશ્વર નમ:' મંત્રનો જાપ કર્ક રાશિનાં જાતકોએ કરવો જોઈએ. રાશિનાં લોકોએ શિવનાં અભિષેકમાં ખીરનો ઉપયોગ કરવો જોઈએ.

shivling mantra jap shiv mahadev

► સિંહ રાશિનો મંત્ર

'શ્રી સોમેશ્વરાય ' મંત્રનો જાપ સિંહ રાશિના જાતકોએ પૂજા દરમિયાન કરવો જોઈએ.  ભગવાનનો અભિષેક ગંગાજળથી કરવું લાભદાયી.

► કન્યા રાશિનો મંત્ર

'ઓમ નમ: શિવાય કાલં ઓમ નમ:'નો જાપ કન્યા રાશિનાં જાતકોએ શ્રાવણમાસનાં સોમવારે કરવો. શિવલિંગ પર 5 બીલીપત્ર ચઢાવવા જોઈએ. ( બીલીપત્ર ક્યારેય ખાલી ન ચડાવવું )

► તુલા રાશિનો મંત્ર

'ઓમ શ્રીનીલકંઠાય નમ:'નો જાપ આ રાશિનાં જાતકોએ કરવો. શિવજીનો અભિષેક દહીંથી કરવું લાભદાયી.

► વૃશ્ચિક રાશિનો મંત્ર

'ઓમ હોમ ઓમ જૂં સ:' મંત્રનો જપ વૃશ્ચિક રાશિનાં જાતકોએ કરવો. શિવલિંગનો અભિષેક મધથી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે.

bholenath shivling mantra mahadev mantra

► ધનુ રાશિનો મંત્ર

'ઓમ નમો શિવાય ગુરુ દેવાય નમ:' શ્રાવણ મહિનાનાં સોમવારે કરવો. શિવજીનો અભિષેક મોસંબીનાં જ્યૂસથી કરવો જોઈએ.

► મકર રાશિનો મંત્ર

શ્રાવણનાં દરેક સોમવારે મકર રાશિનાં જાતકોએ 'ઓમ નમ: શિવાય અને ઓમ ત્રિનેત્રાય નમ:' મંત્રનો જાપ કરવો જોઈએ. શિવલિંગનો અભિષેક દહીંથી કરવો.

► કુંભ રાશિનો મંત્ર

'ઓમ ઈન્દ્રમુખાય નમ: અને ઓમ શ્રી સોમેશ્વરાય નમ:' મંત્રનો જાપ આ રાશિનાં જાતકોએ કરવો. ભોલેનાથને જાંબુનો ભોગ ચડાવવું લાભકારી.

► મીન રાશિનો મંત્ર

'ઓમ નમો શિવાય ગુરુ દેવાય નમ:' મંત્રનો જાપ મીન રાશિનાં જાતકોએ કરવો. આ સાથે જ જાતકોએ ત્રિપુંડ બનાવવા માટે પીળા ચંદનનો ઉપયોગ કરવો જોઈએ.

(Home Page- gujju news channel)

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Gujju News Channel આની પુષ્ટિ કરતું નથી.)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ધાર્મિક સમાચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us